Jan Jagruti work Ngo News Seva Social Work Surat news

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા .

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા તારીખ :- 28/08/2022 ને રવિવાર ના રોજ 60 વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,

યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય સમાજના ઉત્સાહી દાતાશ્રી શૈલેષભાઇ રામાણી અને મહેશભાઈ રામાણી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા સવારે 08:00 કલાકે સંતદેવીદાસ સોસાયટી સરથાણા થી પ્રસ્થાન કરાવી હતી.
યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,જીજ્ઞેશ ઢોલા,ભાવેશ કાકડિયા, વિપુલ નસીત, ચેતન ગઢીયા, કૃણાલ ગઢીયા, સંજય અણઘણ, વિશાલ રાદડિયા, પ્રકાશ વેકરીયા ના સથવારે યાત્રા સવારે મોટાવરાછા સરધાર સ્વામિનારાયણ મંદિર થી ઘલુડી મંદિર,ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને બપોરે સંત કબીર આશ્રમ જમણવાર બાદ બપોર પછી ફાર્મહાઉસ સ્થિત વડીલો સાથે મોટીવેશનલ સ્પિકર શ્રી મનીષભાઈ વઘાસીયા દ્વારા પારિવારિક સંવેદના કાર્યક્રમ અને સાંજે સાકરી સ્વામિનારાયણ મંદિર આરતી અને સત્સંગનો લાભ લઇ જમણવાર કરી રાત્રે 09:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી,


આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ ના રામાણી બ્રધર્સ ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *