Social Work

સેવા સંસ્થા દ્વારા વતનની વ્હારે અભિયાનમાં ભાવનગર ટીમ દ્વારા દિવસ 2 ની અપડેટ્સ

આજ રોજ સવારે ગારીયાધાર ખાતે ચાલી રહેલ આઇસોલેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ એક એમ્બ્યુલન્સ વીથ ઓકિસજન વાન ઉપયોગ મા આપવામા આવી. અને વોર્ડ મા દીન પ્રતીદીન વધતા કોરોના પોઝીટીવ કેસ બાબતે આયોજક સુધીર વાઘાણી સાથે ચર્ચા કરવામા આવી.

ત્યારબાદ હાસ્યકલાકાર પોપટભાઇ માલઘારી ના સંકલન બાદ સુરત થી વતનને વ્હારે આવેલ ભાવનગર આયોજક કમીટી મેમ્બર રોનક પટેલ- સુદામા , યુવા સામાજીક અગ્રણી હીરેન ખેની , સુરત કોર્પોરેટર મહેશ અણઘણ તથા સુદામા ગ્રુપ ના ક્રુણાલ રામાણી , ધ્રુવ કસવાલા, મયુર જસાણી , શૈલેશ સવાણી અને ટીમ
તળાજા ખાતે જવા રવાના થયા.પોપટભાઇ ની સાથે જગવિખ્યાત સાહીત્ય કલાકાર માયાભાઇ આહીર સાથે તળાજા મુકામે આઇસોલેશન સેન્ટર ની મુલાકાત લેવામા આવી અને સુરત દ્વારા બનીવાને પ્રાઇવેટ કાર ઓકિસજન એમ્બ્યુલન્સ જોઇને માયાભાઇ યે સેવાકાર્ય કરતા આ તમામ યુવાનોને બીરદાવ્યા હતા.

તળાજા આઇસોલેશન સેન્ટર ખાતે કેન્સર ના નિષ્ણાંત ડો. મહેન્દ્ર સરવૈયા દ્વારા કોરોના ના દર્દીઓ માટે આયુર્વેદીક માર્ગદર્શન પુરુ પાડેલ.અને સુરત થી સૌરાષ્ટ્ તરફ વતનને વ્હારે આવ્યા તેવી જાણ થતા માયાભાઇ આહીર દ્વારા યુવાનોને અભિનંદન પાઠવવામા આવ્યા અને સમગ્ર તળાજા ના તમામ આઇસોલેશન સેન્ટર પર માયાભાઇ સાથે રહી દર્દીઓ સાથે વાર્તાલાપ અને ડોકટરો ને જરુર પડતા સાધનો અને દવાઓ વીશે ચર્ચા કરી. ત્યાર બાદ સમગ્ર ટીમ અલંગ ખાતે રેડ ક્રોસ બેંક દ્વારા નિશુલ્ક ચાલતી હોસ્પિટલ ની મુલાકાત લેવામા આવી .સેવા ના કાર્યમા માયાભાઇ આહીર દ્વારા દરેક સેન્ટર પર જરુરી દવા ઓ અને ફ્લોમીટર આપવામા આવે છે. દરેક જગ્યા સેન્ટર પર સેન્ટર આયોજકો સાથે વાર્તાલાપ કરી વધુમા વધુ પોઝીટીવ દર્દી સાથે પોઝીટીવ વાતાવરણ ફેલાવી વહેલી તકે સ્વસ્થ કરવા જણાવેલ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *