Social Work

જાગૃત યુવાન તુષારભાઈ માધવાણી દ્વારા યોજાયેલ રક્તદાન શિબિરમાં 72 બોટલ રક્ત એકત્ર થયું.

જો ઈચ્છાશક્તિ હોય તો એક જાગૃત યુવાન શું નથી કરી શકતો એનું તાજેતરમાં એક ઉદાહરણ જોવા મળ્યું છે, કોરોના કાળમાં શહેરમાં રક્તની ખુબ જ અછત છે ત્યારે સુરતનાં જાગૃત અને સામાજીક કાર્યોમાં સક્રિય યુવાન તુષારભાઈ માધવાણીને વિચાર આવ્યો કે પોતાના થી જેટલું શક્ય હોય એટલું આ બાબતે કરવું છે, આ વાતને તેમણે સામાજીક કાર્યોમાં કાર્યરત મિત્રોને કરી સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબા તલાવડીમાં એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું જેમાં IPS ભાવનાબેન પટેલ સહિત શહેરનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તુષારભાઈ માધવાણીએ પોતાના મિત્રોને અને પોતાના ગ્રુપમાં બ્લડ ડોનેશન માટે પ્રેરિત કરી 72 બોટલ રક્ત એકઠું કરી બ્લડ બેંકની જરૂરિયાત સંતોષાય એવા પ્રયત્નો કર્યા હતા.

More news : www.ngofatafatnews.com

FB : NGO FATAFAT NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *