Social Work

ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 56માં જન્મદિવસ નિમિત્તે 56 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો.

શ્રી ખોડલધામ સુરત

બ્લડ ડોનેશન કેમ્પ

શ્રી ખોડલધામ સુરત દ્વારા આજરોજ લોકસમર્પણ રક્તદાન કેંદ્ર ખાતે શ્રી ખોડલધામના સ્વપ્નદ્રષ્ટા, મેનેજમેન્ટ ગુરુ, ખોડલધામ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલ ના 56માં જન્મદિવસ નિમિત્તે 56 બોટલ રક્ત એકત્ર કરવાનો નિર્ધાર કર્યો હતો, હાલની કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે લોહીની તાતી જરૂરિયાત છે ત્યારે ખોડલધામ સુરત મુખ્ય કન્વીનર શ્રી કે.કે. કથીરિયા ના માર્ગદર્શન હેઠળ ખોડલધામની યુવા ટીમ દ્વારા કુલ 70 જેટલી બોટલ રક્ત એકઠું કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી, સમગ્ર કાર્યક્રમ ખોડલધામ સુરત ના કન્વીનરો શ્રી સંજયભાઈ કોરાટ, શ્રી કિશોરભાઈ પદમાણી, શ્રી અશ્વિનભાઈ તારપરા, શ્રી હિરેનભાઈ ભેંસાણીયા તથા અતુલભાઈ ડોબરીયા એ ભારે જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો, રક્તદાન પ્રસંગે લોકસમર્પણ રક્તદાન કેંદ્ર ના ચેરમેન શ્રી હરિભાઈ કથીરિયા તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ શ્રી દિલીપભાઈ બુહા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં શ્રી ખોડલધામ સુરત દ્વારા આગામી દિવસોમાં રોગચાળાની પરિસ્થિતિ માં સુરતમાં લોહીની ખુબ અછત હોય સુરતના તમામ ભાઈઓ-બહેનોને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટેની અપીલ કરેલ છે.

More News : www.ngofatafatnews.com

fb : NGO FATAFAT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *