Social Work

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા અવિરતપણે ચાલતું રસોડું

લોકડાઉન સમયમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓએ અનેક પ્રકારની મહેનત કરી છે ત્યારે એમાની એક સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બંને સંસ્થાઓ એક જ નેજા હેઠળ ચાલી રહી છે ત્યારે હજારો લોકોને જમવાની વ્યવસ્થા તેમજ કીટ વિતરણ અને ગર્વ લઈ શકાય તેવી 121 રક્તની બોટલો એકઠી કરી આ સંસ્થાએ સુરત શહેરનાં કામરેજ, લસકાણા, શંકરનગર BRTS, દેવિકૃપા સોસાયટી, બાપા સિતારામ આવાસ, ST વર્કશોપ આવા તમામ એરિયામાં સવાર સાંજ ભોજન પૂરું પાડી અનેક લોકોનાં મસીહા બન્યા છે ત્યારે આ સંસ્થાઓએ બે વિભાગમાં રસોડું વિભાજન કરી શ્રીજી આવાસ પાસે રોજનાં 7 થી 8 હજાર વ્યક્તિઓને જમાડી ખુબ સુંદર કાર્ય કર્યું છે, આ રસોડું લોકડાઉન સમયે ખુલતા 500 દીકરીઓને અને 51 બ્રાહ્મણો ને જમાડી ને સાથે બ્રાહ્મણો ને 151 ₹ દીકરીઓને 11 ₹ ભેટ આપી આ મહાન માનવસેવાનું કાર્ય બંધ કર્યું હતું આ કાર્યમાં 100 જેટલી બહેનો અને 150 જેટલા ભાઈઓ ભેગા મળી આ કાર્યને પરિપૂર્ણ કર્યું હતું, આ સંસ્થાનું હજુ એક રસોડું નાના વરાછા ખાતે લોકડાઉન 4.0 દરમિયાન રાબેતા મુજબ ચાલુ રહેશે, આ સંસ્થા ભારત દેશ માટે એક અભિન્ન અંગ ગણાય તે રીતે કાર્ય કરી રહી છે ત્યારે આ સંસ્થાનાં કર્તાહર્તા ડો. પ્રવીણભાઈ તોગડીયા અને એમની ટિમ દ્વારા આ દેશમાં હિન્દુ લક્ષી અનેક પ્રકારનાં કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આ સમગ્ર ટિમ ધન્યવાદને પાત્ર બની છે.

#ngofatafatnews #AHP #surat_soical_work

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *