Ngo News Seva Social Work Surat news

મોટા વરાછા ખાતે સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનોખી રીતે ઉજવાયો આઝાદીનો અમૃત મહોત્સવ.

સુદામા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદી ના 75 મા અમૃત મહોત્સવનાં ભાગરુપે સુરતનાં મોટા વરાછા વિસ્તારમાં 75 ફુટ નો વિશાળ તિરંગા સાથે ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તિરંગાયાત્રામાં 75 ફુટ ના તિરંગા ની સાથે રોલર સ્કેટ બાસ્કેટબોલ ના રમતવીરોની કરતુતો અને ખેતીપ્રધાન દેશની યાદ અપાવે તેવા સુશોભીત બળદ ગાડા આ યાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

યાત્રા પુર્ણ થયા બાદ અકસ્માત બાદ જરુર પડતા મેડીકલનાં સાધનો જેવા કે વ્હીલ ચેર , વોકર , ટોઇલેટ ટબ , રીવોલ્વીંગ બેડ , વોક સ્ટીક જેવા સાધનો મોટા વરાછા , વેલંજા , ઉમરા , ઉત્રાણ ના લોકોને પોતાને ખર્ચ કરી વસાવવા ન પડે તે માટે નિશુલ્ક આપવાનું વિમોચન કરવામા આવ્યું હતું. જેમા વિશેષ પ્રતિભા સન્માન ગ્લોસ્ટાર ગ્રુપના કેશુભાઇ ગોટી , એડવોકેટ સમીરભાઇ બોધરા, રબ્બર ગર્લ અન્વી ઝાંઝરુકીયા, રોલર સ્કેટ બાસ્કેટબોલ ચેમ્પીયન દર્શન લખાણી, કુલદીપ લખાણી , આરતી લખાણી નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત ના ડે.મેયર દીનેશભાઇ જોધાણી, ધારાસભ્ય શ્રી વી.ડી.ઝાલાવડીયા, લોકસાહીત્યકાર ઘનશ્યામ લખાણી , યુટ્યુબર ટ્વીંકલ પટેલ ઉપસ્થીત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *