Ngo News Seva Social Work Surat news

યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્ર દિવસ નિમિતે રોજ ધ્વજવંદન કાર્યક્રમનું” આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 15/08/2022 ને સોમવારને સ્વતંત્ર દિવસ નિમિતે શહીદ સ્મારક સરથાણા સુરત ખાતે યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિવિશેષ કુ.નયનાબેન ધાનાણી (NSG કમાન્ડો) નિકુંજભાઈ અજુડિયા (ઇન્ડીયન આર્મી) કાર્તિકભાઈ ઘોરી (ઇન્ડિયન આર્મી) હાજર રહયા હતા.

તેમજ સુરત ગૌ સેવા પરિવાર, સરથાણા વિસ્તારની તમામ સોસાયટીના આગેવાનો અને યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના સાથી મિત્રો હાજર રહ્યા હતા, અને સંસ્થા ના દાતાશ્રી જીજ્ઞેશભાઈ ધીરુભાઈ ઢોલા અને NSG કમાન્ડો નયનાબેન ધાનાણી ના હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અંકિત બુટાણી અને હાર્દિક ચાંચડ અને સંજય ગજેરા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અતર્ગત દેશ ભક્તિ નું અને શહીદો ની શહાદત ને યાદ કરીને લોકોના દિલમાં દેશ ભક્તિની જ્વાળા જગાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *