Ngo News Surat news

સુરતમાં દિવ્યાંગો માટે કરાયું રાસ-ગરબાનું આયોજન જેમાં તેઓએ ઉત્સાહપૂર્વક ગરબે રમી લોકોને કર્યા મંત્રમુગ્ધ.

સુરતમાં દિવ્યાંગો માટે કરાયું રાસ-ગરબાનું આયોજન જેમાં તેઓએ ઉત્સાહપૂર્વક ગરબે રમી લોકોને કર્યા મંત્રમુગ્ધ.

દિવ્યાંગ લોકોને જીવનમાં હર્ષ- ઉલ્લાસ અને ઉમંગ શું છે તેની ખબર નથી. ત્યારે તેમના જીવનમાં એક રંગ ભરવા અને તેમના જીવનમાં પ્રોત્સાહન પુરુ પાડવા શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ અને એક સોચ NGO ના સંયુક્ત ઉપક્રમે કિરણચોકથી કેનાલ રોડ યોગીચોક પાસે અવલબા ફાર્મ ખાતે દિવ્યાંગો માટે રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ-વડોદરા સહિત સુરતની જુદી જુદી દિવ્યાંગો માટે કામ કરતી સંસ્થાઓ, અમદાવાદ, અમરેલી, રાજકોટ, પાલિતાણા સહિત સંસ્થાઓની શુભેચ્છા સાથે સુરતમાં આ રાસ-ગરબાનું આયોજન કરાયું હતું. દિવ્યાંગો માટે આયોજિત કરેલ ગરબા માણવા માટે કોઈપણ વ્યક્તિ જઇ શકે એ માટે તેમાં કોઈપણ એન્ટ્રી ફી કે પાસ રાખવામાં આવ્યા નહોતા. આયોજિત કરાયેલ આ સ્પેશિયલ રાસ-ગરબામાં 800 થી 1000 જેટલા દિવ્યાંગો, 250 થી 300 બહેરા-મુંગા અને બાકીના વિકલાંગ સભ્યોએ હાજરી આપી હતી. કુલ 1500 જેટલા સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. નવરાત્રિના શુભ અવસર પર માતાજીની ભક્તિ કરી શકાય તેમજ દિવ્યાંગ સભ્યોને આગળ વધવાનું પ્લેટફોર્મ મળે તે હેતુથી આ આયોજન કરાયું હતું.

રાસ ગરબામાં 7 દિવ્યાંગ સભ્યોનું સન્માન કરાયું હતું. જેમાં એક દીકરીનું નેશનલમાં ભાગ લેવા માટે સન્માન કરાયું હતું. જેથી તે લોકો ઉત્સાહિત- પ્રોત્સાહિત થાય ને જીવનમાં આગળ વધે. આ કાર્યક્રમનું આયોજન કરનારી સંસ્થા શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ વર્ષ 2014 થી કાર્યરત છે. બીજી સામાજિક પ્રવૃતિઓ તરફ પણ આ સંસ્થા ટૂંક સમયમાં આગળ વધશે. આ સંસ્થા દ્વારા બીજી સંસ્થાઓને ઉદાહરણ પૂરું પડે એ રીતની ઉમદા કામગીરી થઈ રહી છે. સહયોગી સંસ્થા એક સોચ્ ફાઉન્ડેશનનાં રીતુબેન રાઠી એ જણાવ્યું હતું કે આ કાર્યક્રમથી દિવ્યાંગોમાં ઉત્સાહ અને ઉમંગમાં વધારો થયો છે આવનારા સમયમાં પણ એમની સંસ્થા દ્વારા આ પ્રકારનાં કાર્યક્રમો થશે. મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સારું રમતા સભ્યોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *