Seva Social Work Surat news

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પિતા વિહોણા અને વિકલાંગ વાલીઓના સંતાનોને વિનામૂલ્યે ચોપડાનું કરાયું વિતરણ.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સેવાકીય કાર્યોમાં હંમેશા સક્રિય રહેતી સંસ્થા છે. તા. 31-05-2022 ને મંગળવારના દિવસે લક્ષ્મીનગર સોસાયટી, એ.કે રોડ ખાતે આ સંસ્થા દ્વારા પિતા વગરનાં દીકરા અને દીકરીઓ તથા વિકલાંગ માતા પિતાના દીકરા દીકરીઓને 1600 ડઝન ચોપડા વિતરણ કરાયા. ઉપરાંત 1 ડઝન ચોપડા સાથે 9 બોલપેનનું વિતરણ પણ કરાયું હતું. વિતરણ માટે આવનાર તમામ લોકોને સંસ્થા દ્વારા થનાર આગળની કોઇપણ પ્રવૃત્તિમાં લાભ અંગેની જાણકારી મળે તે માટે ગ્રુપમાં પણ જોઈન કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *