Jan Jagruti work Seva Social Work

આયસોલેશન વોર્ડમાં સેવા આપતા સફાઈ કર્મચારીઓ અને સ્વયંસેવકોને શાલ ઓઢાડી કોરોના વોરિયર્સ સ્મૃતિચિહ્ન થી સન્માનિત કર્યા.

આયસોલેશન વોર્ડમાં સેવા આપતા સફાઈ કર્મચારીઓ અને સ્વયંસેવકોને શાલ ઓઢાડી કોરોના વોરિયર્સ સ્મૃતિચિહ્ન થી સન્માનિત કર્યા.

મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ, મુસ્કાન કામધેનુ મહિલા મંડળ અને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ અંતર્ગત ચાલતા સુરતનાં આઈસોલેશન સેન્ટરોમાં સેવા આપતા સ્વયંસેવકો, પેરામેડિકલ વિભાગમાં સેવા આપતા સભ્યો, સફાઈ કર્મચારીઓ, વોચમેન સહિત કુલ 147 સભ્યોને અમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડીને અને યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડસ તરફથી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.

વધુ વિશેષ માહિતી આપતા મુસ્કાન ફેમિલી ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ રાકેશભાઈ દાઢી એ જણાવ્યું કે કોરોનાની બીજી વેવમાં આયસોલેશન વોર્ડમાં જેઓએ દિવસ રાત મહેનત કરી છે એવા સાચા કોરોના વોરિયર્સ ને સન્માનિત કરી એમને પ્રોત્સાહન આપવાનો હેતુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *