Social Work Surat news

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા.

*યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાઈ વડીલ યાત્રા*

યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર મહિને થતી વડીલ યાત્રાનાં અંતર્ગત તા. 19-2- 2023 ને રવિવાર ના રોજ 55 જેટલા વડીલો ને અલગ અલગ તીર્થ સ્થાનો પર યાત્રા કરાવવામાં આવી,

 યુવા અવસ્થા થી વડીલ અવસ્થા માં પ્રયાણ કરી ચૂકેલા વડીલો ને યાત્રા કરાવીને સંપૂર્ણ યાત્રા નું સૌજન્ય અશાદિપ ગ્રુપ ઓફ સ્કુલ ના શૈલેષભાઈ રામાણી અને મહેશભાઈ રામાણી દ્વારા આપેલ અને સમાજ સેવા માટે પોતાનું યોગદાન આપી યાત્રા ને સવારે 8:00 કલાકે ધરમનગર સોસાઈટી એ.કે રોડ થી પ્રસ્થાન કરાવી હતી. યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અંકિત બુટાણી,હરેશ દુધાત,આશિષ બાવીશી,કેનીલ લીંબાણી, વિપુલ નસિત, સુરેશ ધામેલિયા, પ્રકાશ વેકરીયા, ના સથવારે યાત્રા સ્વામિનારાયણ મંદિર મોટા વરાછા થી ઘલુડી હનુમાન દાદાના દર્શન કરીને માનવ સેવા આશ્રમ ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ફાર્મહાઉસ સ્થિત વડીલો સાથે પારિવારિક સંવેદના કાર્યક્રમ કરીને ગલતેશ્વર 12 જ્યોતિર્લિંગ દર્શન કરીને સાકરી સ્વામિનારાયણ મંદિર આરતી અને સત્સંગનો લાભ લઇ જમણવાર કરી રાત્રે 9:00 કલાકે યાત્રા પૂર્ણ કરવામાં આવી. રામાણી બ્રધર્સ ની વડીલો પ્રત્યે ની સેવા ભાવના ને ખુબ ખુબ અભિનંદન સાથે વંદન અને વડીલો પ્રત્યેની સેવાના પ્રેરણાદાયક કાર્ય થી યાત્રાળુઓએ પણ ખોબલે ખોબલે આશીર્વાદ વરસાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *