Social Work

મોટા વરાછા ખાતે દોઢ લાખ સભ્યોને થઈ રહેલું ઉકાળાનું વિતરણ.

મોટા વરાછા અને ઉત્રાણ વિસ્તાર માટે કોરોના વાયરસ તથા અન્યવિકારો સામે રક્ષાત્મક આયુર્વેદિક અમૃતપેય ઉકાળાનું વિનામુલ્યે વિતરણ મોટા પાયે થઈ રહ્યું છે, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા 30 જૂન થી શરૂ થયેલું ખોડિયારનગર સોસાયટીની વાડીમાં આ વિતરણ 4 જુલાઈ સુધી ચાલુ રહેવાનું હતું પરંતુ પાટીદાર સમાજ અગ્રણી ચન્દ્રકાંતભાઈ માંડવીયા (C P) જેઓએ આગામી નવ તારીખ સુધી ઉકાળા વિતરણને એજ જગ્યા પર ચાલુ રાખવાની તમામ આર્થિક ફંડની જવાબદારી ઉપાડી છે ત્યારે વિસ્તારનાં સભ્યોને વિનંતી છે કે તેઓ આ સેવાનો લાભ લે, છેલ્લા પાંચ દિવસથી ઉકાળા કેન્દ્રની મુલાકાતે સમાજ અને શહેરશ્રેષ્ઠીઓ આવી આરોગ્ય અને લોકજાગૃતિ નો સંદેશ આપી રહ્યા છે, કાનજીભાઈ ભાલાળા(વરાછા બેન્ક), વલ્લભદાદા સવાણી (પી. પી. સવાણી ગ્રુપ), કુર્મી સમાજ અધ્યક્ષ શ્રી રામજીદાદા ઈટાલીયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ ના ઉપ પ્રમુખ શ્રી સવજીભાઈ વેકરીયા, લોક સમર્પણ રક્તદાન બેન્ક પ્રમુખ હરિભાઈ કથીરિયા, વરાછાબેંક મેનેજીંગ ડિરેકટર ભવાનભાઈ નવાપરા, ડો. ગૌતમભાઈ સીહોરા, વિપુલ સાચપરા એ મુલાકાત લઈ સ્વયંસેવકોને ઉત્સાહ પૂરો પાડ્યો છે. ઉમેશભાઈ સુરાણી, હસમુખભાઈ રૈયાણી, દિનેશભાઈ માંગુકિયા, નરેશભાઈ વિરાણી, રાજુભાઈ ગૌદાણી ટિમ દ્વારા આ સમગ્ર વ્યવસ્થાનું સુંદર સંચાલન થઈ રહ્યું છે.

More News visit : www.ngofatafatnews.com

Twitter : https://twitter.com/ngofatafatnews

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *